* આકાશમંડળમાં રશિચક્રમાં ગ્રહોની ગતિ નિરંતર ચાલ્યા કરે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહિ બીજી રાશિમાં ગતિ કરે એને સંક્રાન્તિ કહે છે.
* પૃથ્વીની ગતિથી અયન થાય છે. ઉત્તરાયન અને દક્ષિણાયન.
* સૂર્ય મકર રાશિમાં આવે તેને મકરસંક્રાન્તિ કહે છે.
એ જ રીતે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ૨૭ દિવસમાં પોતાની પરિક્રમા પૂરી કરે છે. સૂર્ય એક માસ, ચંદ્ર સવા બે દિવસ, મંગળ અઢી માસ, બુધ બાવીસ દિવસ, શુક્ર એક માસ, શનિ ૩૦ માસ અને રાહુ-કેતુ અઢાર માસ એક રાશિમાં રહે છે.
જે ગ્રહો એક સરખી ગતિએ પોતાના પ્રદક્ષિણા-માર્ગમાં ચાલતા હોય તેને માર્ગી કહેવામાં આવે છે.
મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ – આ ગ્રહોની ચાલ એકસરખી હોતી નથી. ક્યારેક અતિચારી (ઝડપથી) ચાલે છે; ક્યારેક વક્ર એટલે પાછલી ગતિથી ચાલે છે એને વક્રી કહેવામાં આવે છે. પંચાંગમાં ગ્રહોની શીધ્ર, મંદ, વક્ર, સ્થંભિત અને માર્ગી ગતિનો ચોક્કસ સમય ગણતરીપૂર્વક આપવામાં આવ્યો હોય છે. જાતકના જન્મસમયે જે ગ્રહ માર્ગી હોય છે તેને જીવનભર માર્ગીના રૂપમાં ફળ આપે છે અને જે ગ્રહ વક્રી હોય છે તે તેને જીવનભર વક્રીના રૂપમાં ફળ આપે છે. અલબત્ત ગ્રહોની દૈનિક ગોચર ગતિના આધારે માર્ગી અથવા વક્રી થતા ગ્રહો જાતકના જીવન પર પોતાનો ભલો-બૂરો પ્રભાવ તો પાડતા જાય છે.
09/12/2018 at 3:00 પી એમ(pm)
Jivan ma mane bhu taklif aavi rahi che te no upay batavo
LikeLike